શિશુવિહાર સંસ્થામાં ભગવાનના વાઘા અને શણગારનું પ્રદર્શન…

 

હિન્દ ન્યુઝ, ભાવનગર

અત્યારે શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. આમ વિવિધ વ્રતો અને તહેવારોની ગુજરાતમાં મોટાપાયા પર ઉજવણી કરવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં દેવદર્શનનો પણ ખૂબ મહિમા છે. પવિત્ર માસને અનુલક્ષીને મંદિરો સાથે ભગવાનને પણ નવાં વાઘાથી સુશોભિત કરવામાં આવે છે. ત્યારે શિશુવિહારના શ્રી ઇન્દિરાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ બહેનો દ્વારા તૈયાર થયેલ ભગવાનને શણગારવા માટેના નવી ડિઝાઇન અને રૂપરંગના વસ્ત્રો સાથે પાઘડી અને ઉપવસ્ત્રોના વાઘા અને શણગારનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. હાથથી તૈયાર થયેલ વસ્રોી નું આ પ્રદર્શન સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ દરમિયાન જોવાં મળી શકશે આ ઉપરાંત સાંજે ૪-૩૦ પછી લાલજી મહારાજના વાઘા અને શણગાર મેળવી શકાશે. શ્રી ઇન્દિરાબેન ભટ્ટના પરિશ્રમથી તૈયાર થયેલ સુંદર વાઘા નિહાળવાં શિશુવિહાર સંસ્થા દ્વારા સૌ નગરજનોને આમંત્રણ પાઠવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ.હકીમ ઝવેરી

Related posts

Leave a Comment